Health Tips (આરોગ્યની ચાવી )

"આદું યુક્ત ચા પીવાના ગુણકારી ફાયદાઓ"

    સવાર સવારમાં એક કપ આદુંની ચા ફક્ત તમને રીફ્રેશ જ નથી કરતી પણ આમાં ઘણા રોગોને દુર કરવાના ગુણ રહેલ છે. આદુમાં એન્ટી હિસ્ટેમાઇન ગુણધર્મો રહેલ છે, જે શરદી, ઉધરસ અને ગળાની બળતરાને દુર કરે છે. આદુમાં રહેલ એન્ટી ઇન્ફલેમટોરી ગુણ માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે.

    સામાન્ય રીતે ઠંડીનું આગમન થતા જ લોકો આદું વાળી ચા પીવા લાગે છે. પરંતુ આના ફાયદાઓ એટલા બધા છે કે કોઇપણ ઋતુમાં તમે આદુંની ચા પી શકો છો.

    આદુના ઘણા તબીબી ફાયદાઓ છે. આ વિટામીન એ, સી, , અને બી-કોમ્પલેક્ષ નો એક શ્રેષ્ઠ ઉપાય છે. સાથે જ આમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ, જસત, કેલ્શિયમ અને બિટા કેરોટિન પર્યાપ્ત માત્રામાં હોય છે.

    જયારે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે આદુની ચા પીવાથી મોશન સિકનેસ થી થતી ઉલટી નથી થતી. સાથે જ ઉબકા પણ નથી આવતા.

    આદુંમાં બળતરા ઓછી કરવાનો ગુણ હોય છે, જેનાથી આ સાંધાની સમસ્યાનો સારો ઘરેલું ઉપાય બને છે.

    ભૂખ ન લાગતી હોય તો આદુની ચા છે અસરકારક. ઘણા લોકોને કોઈ પણ જાતની બીમારી વગર ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવી જોઈએ. આદુ વાળી ચા પીવાથી ભુખ ખુલે છે. આદુ વાળી ચા શરીરમાં પ્રવેશતાની સાથે જે પાચન ક્રિયા માટે નિયમિત રીતે એન્ઝાઇમ રિલીઝ કરે છે. જેનાથી ભુખ વધી જાય છે.

    આદુંની ચા માંથી મળતા વિટામીન, ખનીજો અને એમિનો એસિડ રક્ત પરિભ્રમણ બહેતર બનાવવા માટે મદદરૂપ થાય છે, જેથી કાર્ડીવાસક્યુલરની તકલીફ (રક્તવાહિની ની સમસ્યાઓ) ઓછી થવાની સંભાવના રહે છે. આનાથી હ્રદય રોગનો હુમલો અને સ્ટ્રોક જોખમ પણ દુર થાય છે.

    આદુમાં એન્ટીઑકિસડન્ટ મોટી માત્રામાં મળી આવે છે, જેનાથી તમારી ઇમ્યુનીટી મજબૂત થશે.


    જીંજર યુક્ત ચા પીવાથી તમારા શરીરમાં આખો દિવસ એનર્જી બની રહેશે. રોજ આદુ વાળી ચા પીઓ અને પછી જુઓ દિવસ ભર પહેલા કરતા પણ કેટલા વધારે એક્ટીવ રહો છો.






 "ફેસ પરથી ઈન્સ્ટંટ કાળા દાગ દુર કરવાના ઘરેલું ઉપાયો"



ફેસ પર કોઇપણ પ્રકારના દાગ-ધબ્બા કોઈને જ ન ગમે એ સ્વાભાવિક છે. જયારે આપણા ફ્રેન્ડસના ફેસ દાગ કે પીમ્પલ્સ વગરના એકદમ ચોખ્ખા હોય ત્યારે આપણને થોડી જેલસી થાય કે કાશ! મારે પણ આની જેવી ક્લીન સ્કીન હોત’તો કેવું સારું ખરું ને? તમે આ પ્રોબ્લેમ માટે ઘણી બધી મોંધી મોંધી ક્રીમ્સ યુઝ કરતા હશો. પણ જોઈએ તેવો બેનેફિટ ન મળે તો પૈસાનું પાણી થઇ જાય. આવા સમયે આ સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે અહી થોડા ઘરેલું નુસખાઓ આપવામાં આવ્યા છે. 

* બાફેલા બટેટાના છિલકાને ચહેરા પર ઘસવું. આનાથી તમારા ખીલ (એકને) પણ ઠીક જઇ જશે.

ચંદન ના પાવડરમાં ગુલાબજળ મેળવીને એક સોફ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને દાગ-ધબ્બાના એરિયામાં હાથોથી રગડવો.

આ સમસ્યા માટે તમે દાગના એરિયામાં પીસેલી ફુદીનાની પેસ્ટ લગાવી શકો છો.

આના માટે લીંબુ કે લીંબુના છીલકાઓ પણ ફાયદાકારક છે. આને રોજ ફેસ પર લગાવશો તો જરૂર ફરક જણાશે. લીંબુને એક પ્રાકૃતિક બ્લીચ માનવામાં આવે છે. ઉપરાંત તમારા ફેસ પર ગ્લો પણ આનાથી આવશે. તમે લીંબુના રસમાં ગુલાબજળ મેળવીને પણ ફેસ પર લગાવી શકો છો. આ તો બધા જ ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.

* ચહેરાના દાગ-ધબ્બા દુર કરવા માટે તમે ટામેટાંના રસને રૂ માં લગાડી દાગ પર રબ (ઘસવું) કરી શકો છો. જ્યાં સુધી દાગ ન જાય ત્યાં સુધી આ પ્રોસીજર ચાલુ રાખવી. આનાથી તમને ફરક જણાશે.

* સૌથી સારો અને કારગર ઉપાય છે મધ. આ એક નેચરલ મોશ્ચરાઇઝર છે. આના માટે એક ચમચી મધ લઇ દાગ પર ૧૦ થી ૧૫ મિનીટ ઘસવું. બાદમાં ફેસ વોશ કરી લેવું.

"ખાટીમીઠી મોસંબી માં રહેલ છે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો....." 

આ રસીલા ફળ ની વાત કરતા જ મોં માં પાણી આવવા લાગે. હાલ મોસંબી ની સીઝન છે. તેથી જે લોકો મોસંબી ન ખાતા હોય તે પણ આના ફાયદાઓ જાણીએ ખાવા લાગશે. મોસંબી એ ખાટું-મીઠું ફળ છે જેણે અંગ્રેજીમાં ‘સ્વીટ લેમન’ કહેવાય છે. ચાલો જાણીએ આના ફાયદાઓ....

* ‘વિટામીન સી’ થી ભરપુર મોસંબી થી દાંતો અને ગમ (પેઢા) સુરક્ષિત/મજબુત બને છે. સાથે જ મોંઢા માં આવતી બેડ સ્મેલ પણ દુર થાય છે.

* મોસંબીનું જ્યુસ પીવાથી ખીલ અને ત્વચાની કરચલી દુર થશે. આ ઘણા બધા ન્યુટ્રીશંસથી ભરપુર છે જે ત્વચા માટે ફાયદેકારક છે.

* આના રસના ૩ થી ૪ ટીપા હોઠ પર લગાવવાથી કાળા હોઠ દુર હશે. સાથે જ લીપ્સ નરમ પણ બનશે.

* ટાઈફોઈડ થયો હોય તો પણ મોસંબીનું સેવન કરવું.
* કબજીયાત માં મોસંબીનો રસ પીવાથી આ સમસ્યા મટશે.

* મોસંબીમાં જે એસીડ્સ હોય છે તે શરીરના હાનિકારક તત્વોને બહાર કાઢે છે. ઉનાળાની સિઝનમાં આને ખાવાથી શરીરમાં ગરમી પેદા થઇ વિષેલા તત્વો બહાર નીકળે છે.

* આ ગ્લુકોઝ કરતા પણ શક્તિશાળી ફ્રુટ છે. તેથી જ્યારે શરીરમાં પાણી ઘટી જાય ત્યારે મોસંબીનું સેવન કરવું.

* મોસંબી નો રસ રક્તશોધક છે. આ ચામડીના રોગો માટે લાભદાયક છે.

* જો કોઈના શરીરમાં એનર્જી ન હોય અને નાના નાના કામો કરતા થાકી જતા હોય તેવા લોકોએ આનું સેવન કરવું.

* આનું સેવન કરવાથી માથાનો દુઃખાવો દુર થશે. આના જ્યુસમાં તમે પુદીના ના પાન અને કાળું મીઠું પણ નાખી શકો છો.

* ભૂખની સ્થિતિમાં આનું સેવન અમૃતતુલ્ય છે. ભરેલ પેટમાં આ ભોજન સરળતાથી પચાવવા મદદ કરે છે.

* આ ફળમાં કેલેરી ખુબ ઓછી હોય છે. એક ગ્લાસ મોસંબીના જ્યુસમાં ફક્ત ૫૦ ગ્રામ જ કેલરી હોય છે, જેનાથી તમારું વજન ઘટશે.



"જાણો જંક ફૂડ વિષે.................."


જંક ફૂડ એટલેકે ફાસ્ટફૂડ. જંક ફૂડ તરીકે પિઝ્ઝા, બર્ગર, નુડલ્સ, ચોકલેટ, ફ્રેંચ ફ્રીઈસ અને ચિપ્સ વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ફાસ્ટફૂડ એ આધુનિક લાઈફસ્ટાઈલનો જ એક હિસ્સો છે. મોટાભાગે લોકોના એવા વિચારો હોય છે કે જંક ફૂડ સસ્તું, તેલ વાળું અને રહસ્યમય પદાર્થોથી બને છે. જંક ફૂડનું વધારે પડતું સેવન કરવાથી મોટાપો વધે છે. આની સીધી અસર આપણા દિમાગ ઉપર થાય છે.

પિઝ્ઝાની શરૂઆત ઈટાલીમાં થઇ હતી. જોકે, ટેસ્ટી પિઝ્ઝાની શરૂઆત યુનાન (ગ્રીસ) માં થઇ હતી. મોર્ડન પિઝ્ઝાની શરૂઆત ૧૮૮૯માં થઇ હતી. જંક ફૂડમાં ફાઈબર, વિટામીન, મિનરલ્સ વગેરેની કમી હોય છે. વિટામીન એ, બી, સી કોમ્પલેક્ષ વગેરેની કમીથી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થાય છે. આના ઇન્ફેકશનથી વિટામીનની સંભાવના ઘટવા લાગે છે.

ફ્રેંચ ફ્રાઈઝની શરૂઆત ફ્રાંસ કે બેલ્જીયમમાં થઇ હતી. બેલ્જીયમમાં આને નેશનલ ફૂડ માનવામાં આવે છે. મોટાભાગે લોકોનું માનવું છે કે ફાસ્ટફૂડ એટલે રોગોને આમંત્રણ આપવું. આને સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર માનવામાં આવે છે.

કોલ્ડ્રીંકમાં કાર્બન, એસીડ શુગર અને પ્રેઝર્વેટીવ હોય છે. આ હાડકાના કેલ્શિયમ અને ફોસ્ફરસને ઓછુ કરે છે. આના વધારે સેવનથી ઓસ્ટીયોપોરોસિસ નામની બીમારી થાય છે. જંક ફૂડથી બાળકો પર શારીરિક અને માનસિક વિકાસમાં પ્રભાવ પડે છે.

ઉપરાંત ઘરમાં બનેલ જંક ફૂડ ખાવાથી ફક્ત બાળકોનું આઈક્યુ લેવલ જ સારું રહે છે. કિશોરાવસ્થામાં મોટાભાગે લોકો જંક ફૂડના વ્યસની બની જાય છે. તમારે જ નક્કી કરવાનું રહ્યું કે આનું સેવન કરવું કે નહિ.

મીઠી ચોકલેટ મુખ્યરૂપે કોકોથી બને છે.આની શોધ લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાથી જ થઇ ગઈ હતી. સ્પેનના રસોઈઘરમાં મોટાભાગે લોકો ચોકલેટ ડ્રીંકનો ઉપયોગ કરે છે. આજકાલ લોકો ચોકલેટમાં દૂધ અને ખાંડ નાખીને બનાવે છે. જે ખુબજ પોપ્યુલર છે. રોજ સવારે ચોકલેટનો એક ટુકડો ખાવાથી તમે આખો દિવસ રીફ્રેશ રહી શકશો. આ સાબિત થઇ ચૂકેલ છે.

ક્યારેક ક્યારેક સ્વાદ બદલવા માટે જંક ફૂડ ખાવામાં કોઈ ખરાબી નથી. પરંતુ આને આદત બનાવવી અને આપણી લાઈફનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવવો એ ઘાતક છે. જયારે આપણે આનો ઓર્ડર મંગાવીએ કે બહાર રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે તે લાંબા સમયથી તેમના ફ્રીઝમાં પડેલ હોય છે. જયારે આપણા હાથમાં આ ભોજન આવે ત્યારે લગભગ તેની પૌષ્ટિકતા ખતમ થઇ ચુકી હોય છે.

જંક ફૂડની દુકાનોમાં અત્યારે સૌથી પ્રસિદ્ધ મેકડોનાલ્ડ છે. જેની સ્થાપના વર્ષ ૧૯૫૫માં કેલીફોર્નીયામાં થઇ હતી. આને અફોર્ડેબલ માનવામાં આવે છે. ભારતની જેમ જ આ અમેરિકામાં પણ ખુબ લોકપ્રિય છે. ૨૦૧૫ ના રોજ અમેરિકામા આની ૧૪ હજારથી પણ વધારે રેસ્ટોરન્ટ ખુલ્યા.

વિશેષજ્ઞો અનુસાર જંક ફૂડમાં ખુબજ વધારે રસાયણો હોય છે અને આમાં પ્રાકૃતિક તત્વોની કમી હોય છે. આનાથી દિલ (હાર્ટ) ની બીમારીઓ થાય છે અને કેન્સર થવાની સંભાવના પણ આમાં રહેલ છે. મોટાભાગના બધા જ જંક ફૂડ મેંદાના લોટમાંથી બનેલ હોય છે. આમાં ચટપટા મસાલા હોવાથી સ્વાદિષ્ટ તો હોય છે પણ પોષ્ટિકતા સહેજ પણ નથી હોતી.



પાકી કેરી ખાવાના આ ફાયદાઓ જાણીને તમે દરરોજ ખાશો.....

કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. ખરેખર, મેંગોમાં એવા અનમોલ ગુણો છુપાયેલ છે કે આને ફળનો રાજા કહેવાય છે. આયુર્વેદ, વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્રના અવલોકનોના આધારે ફળોના રાજા કેરી વિષે દુર્લભ વર્ણન કરવામાં આવ્યું છે.


એક પાકી કેરી વિવિધ કુદરતી તત્વોથી ભરપુર હોય છે. કેરીમાં વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઇબર, કાર્બૉહાઇડ્રેડ, પ્રૉટીન, ફેટ, વિવિધ પ્રકારના વિટામિન એ, ઇ, સી અને કે હોય છે. આ ઉપરાંત કેરીમાં સૉડીયમ, પૉટેશીયમ, કેલ્શિયમ, કૉપર વગેરે જેવા આવશ્યક તત્વો હોય છે.

* પાકેલી કેરી ખાવાથી શરીરના સાત ધાતુ એટલેકે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્યની વૃદ્ધિ થાય છે.

* પાકલ કેરી દુબળા પતલા બાળકો, વૃધ્ધો અને શરીરે નબળા લોકો માટે સર્વોત્તમ ઓષધી છે.

* કેરીમાં વિટામિન અને ન્યુટ્રીયંસ હોય છે, જેની કોઈ જ સાઈડ ઈફેક્ટસ નથી. આની સાથે જ આમાં વિટામિન સી, પ્રાકૃતિક ફ્રુટ એસીડ અને બિટા કેરોટિન હોય છે, જે શરીરમાં ગ્લો લાવવા જરૂરી છે.

* પાકેલી કેરીને ચૂસીને ખાવાથી આંખના રોગો દુર થાય છે.

* દૂધમાં કેરીનો રસ નાખીને પીવાથી શરીરમાં નબળાઇ દુર થાય છે અને વીર્ય બને છે.

* દૂધની સાથે પાકેલી કેરી ખાવાથી સારી ઉન્ધ આવે છે.

* કેરીના ૬૦ ગ્રામ રસમાં ૨૦ ગ્રામ દહીં અને ૫ ગ્રામ આદુનો રસ મેળવો. આનું દિવસમાં બે થી ત્રણ વખત સેવન કરવું. આમ કરવાથી અતિસારની સમસ્યા દૂર થાય છે.

* 300 મિલીલીટર કેરીનો રસ રોજ પીવાથી લોહીની ઉણપ દુર થાય છે.

* કેરીના રસમાં સિંધવ મીઠું તથા ખાંડ મેળવીને પીવાથી ભૂખ વધે છે.
     કેરીનો રસ લગભગ અડધો ગ્લાસ, નાની વાટકીમાં સહેજ દહીં અને એક ચમચી આદુના રસ ને સારી રીતે મિક્સ કરીને દિવસમાં ૩ થી ૪ વાર પીવાથી હરસ (મસા) નો રોગ મટે છે.
       પાકી કેરી ત્રિદોષહર છે. તે વાત,પિત્ત અને કફનું શમન કરે છે. પાકી કેરી અમૃતતુલ્ય છે. પાકી કેરી સ્વાદિષ્ટ, મીઠી, સ્નિગ્ધ, બળ વધારનાર છે તથા વાયુના વિકારને દૂર કરે છે. હૃદય માટે ટોનિક અને તૃપ્તિદાયક છે. ચામડીના રંગને સુધારનાર તથા સૌંદર્ય વધારનાર છે. કબજિયાત અને પેટના રોગો માટે પાકેલી કેરી અદ્‌ભુત ઔષધ છે.
      * ગરમીમાં વારંવાર કેરીનો રસ પીવાથી શરીરમાં શક્તિ મળે છે.
      * કિડની નબળી પડી ગઈ હોય તો કેરીનો રસ પીવાથી કિડની સારી થઇ જાય છે.
      * કેરીમાં લોહતત્ત્વો ભરપૂર છે આથી જે લોકોને એનિમિયા થયો હોય તેવાં લોકો જો તેનો ભોજનમાં ઉપયોગ કરે તો તેનાથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચનશક્તિમાં સુધારો થાય છે.
      * મોંમાં અવારનવાર ચાંદા પડતાં હોય ત્યારે પાકી કેરીને ચૂસવી. ત્યારબાદ એક ક્લાક સુધી પાણી ન પીવું અને ક્લાક બાદ ગાયનું દૂધ પીવું. આમ કરવાથી આ સમસ્યા દુર થઇ જશે.




        એસીડીટી ની સમસ્યાથી પીડાતા હોવ તો .......

        ઘણી બીમારીઓ એવી હોય છે જેણે આપણે ખુદ આમંત્રણ આપીએ છીએ. આનો અર્થ એ છે કે આપણી ઉંધી જીવનશૈલી. એસીડીટી પણ એ રોગમાંથી જ એક છે. વધારે તીખું તળેલું ખાવાથી આ રોગ થાય છે. પેટમાં પાચનરસની વધારે કમી હોવાથી એસીડીટી થાય છે.

        એસીડીટી ના કારણે પેટમાં દુઃખાવો અને છાતીમાં બળતરા થાય છે. અહી આ સમસ્યાના ઘરેલું ઉપાયો જણાવ્યા છે.


        1. ભોજન ચાવી ચાવીને ખાવું.
        2. એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી મરીનું ચૂર્ણ તથા અડધું લીંબુ નાખીને સવારે આ પાણી પીવું. આની સાથે સલાડમાં મૂળો લઇ તેની ઉપર કાળું મીઠું નાખીને ખાવું.
        3.  રોજના ભોજનમાં છાશ, દહીંનું સેવન કરો. લીલોતરી શાકભાજી અને ફળોના જ્યુસનું સેવન કરવું.
        4. બે ગ્રામ અજમાને અડધા ગ્રામ મીઠા સાથે ચાવીને ખાવ. જો એસીડીટીને કારણે પેટમાં દુઃખાવો થતો હશે તો તે ઠીક થઇ જશે.
        5. એક લવિંગ અને એલચી લઇ તેને પીસી પાવડર બનાવવો. આ માત્રાને જયારે ભોજન કરો ત્યારે ભોજન બાદ માઉથફ્રેશનર ના રૂપે ખાવું. આનાથી એસીડીટી ઠીક થઇ જશે અને મોઢામાં દુર્ગંધ પણ નહિ આવે.
        6. જયારે ભોજન કરો ત્યારબાદમાં થોડું ચાલવું, જેથી ભોજન પચી જાય.
        7. પુદીના ની તાસીર ઠંડી હોય છે જેથી આના પાન ખાવાથી પેટમાં બળતરા, ગેસ અને દુખાવો મટાડવા પ્રભાવિત છે. જયારે ગેસ કે એસીડીટી જેવું લાગે ત્યારે પુદીનાને કાપીને પાણીમાં ઉકાળો. બાદમાં આ પાણીને પીવું. આનાથી ચપટીમાં એસીડીટી મટી જશે.
        8. ઓછી માત્રામાં દિવસમાં હલકું ભોજન (લાઈટ ફૂડ) ખાવું અને ખાતા સમયે ભોજન સાથે દેશી ગોળ ખાવો.
        9. એક કપ પાણી ઉકાળીને તેમાં એક ચમચી વરીયાળી મેળવીને આખી રાત પલાળી રાખવું. સવારે આ પાણી ચાળીને તેમાં ૧ ચમચી મધ મેળવીને ભોજન કર્યા બાદ ત્રણ ટાઈમ લેવું.



        ખીલ મટાડવાના આ છે ઘરેલું રામબાણ નુસ્ખાઓ


        તમારી ત્વચાને સારી દેખભાળ ની આવશ્યકતા હોય છે અને ખીલનું ચહેરા પર હોવું તમારા માટે ચિંતા નો એક ગંભીર વિષય છે. જો ખીલ થયા હોય તે નીકળી જાય તો પણ તે દાગ પાછળ છોડી જાય છે આ સમસ્યાથી પણ લોકોને પ્રોબ્લેમ થાય છે.


        * તુલસીના પાન ને પીસીને ખીલ પર લગાવવાથી તે મટી જાય છે.


        * એક ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી કે લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરીને આ પેસ્ટને ચહેરા પર લગાવવી. આનાથી ખીલ દુર થશે.


        * ટુથપેસ્ટ નો ઉપયોગ ફક્ત દાંત સાફ કરવા માટે જ નથી થતો. આને તમે ખીલ પર લગાવી ખીલ અને તેના દાગ મટાડી શકો છો.


        * કાચા બટેટા ને ખીલ થયેલ હોય ત્યાં લગાવવાથી તે દુર થશે.


        * દહીં માં હળદર મિક્સ કરીને લગાવવાથી પણ એક્ને દુર થાય છે.


        * ચણાના લોટ માં છાશ નાખી તેની પેસ્ટ બનાવી તમે ખીલ પર લગાવી શકો છો.


        * ચંદન ના પાવડર ને મુલતાની માટી અને ગુલાબ જળ માં મેળવી ૧૦ થી ૧૫ મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખવો. ફક્ત ૨ થી ૩ દિવસ માં જ તમારા ચહેરા માંથી પીમ્પલ દુર થઇ જશે.


        * ચંદન નો પાવડર પિમ્પલ દુર કરવામાં મદદગાર છે. આ પાવડર ફક્ત તમારા ચહેરાને જ ફ્રેશ નથી કરતો પણ તેને ફરીવાર આવતા પણ રોકે છે. આ પાવડરમાં પાણી નાખી ફેસ પર લગાવીને ૨ થી ૩ કલાક સુધી રાખવો. બાદમાં આ પેસ્ટ સુકાઈ જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું.




        કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
        હૃદયની સુરક્ષા કરે છે 


        કાચી ડુંગળીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સિવાય કાચી ડુંગળીનું નિયમિત સેવન કરવાથી લોહીની બંધ ધમનીઓ પણ ખુલી જાય છે.

        કેન્સર સામે રક્ષણ કરે છે 


        કાચી ડુંગળીમાં સલ્ફર તત્વની માત્રા વધુ હોય છે. સલ્ફર શરીરને પેટ, ફેફસા, બ્રેસ્ટ, પોસ્ટેટ કેન્સરથી બચાવે છે. સાથે જ આ પેશાબમાં થતાં સંક્રમણની સમસ્યાને પણ ખતમ કરે છે.


        ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક


        જો તમને ડાયાબિટીસ હોય તો દરરોજ એક કાચી ડુંગળી ખાવી જોઈએ. કાચી ડુંગળી શરીરમાં ઈંસુલિન પેદા કરે છે. જે ડાયાબિટીસના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક રહે છે.

        કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે 

        ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ હોય છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે.

        કબજિયાત દૂર કરે છે

        કાચી ડુંગળીમાં રહેલા રેશા પેટની અંદર ચોટેંલા ખોરાકને બહાર કાઢે છે. જેથી પેટ દુરસ્ત રહે છે અને સાફ પણ થઈ જાય છે. જેથી જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ભોજન સાથે રોજ એક કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો.

        ગળામાંથી કફ દૂર કરે છે 

        જો તમને શરદી, કફ અથવા ગળામાં ખરાશની સમસ્યા રહેતી હોય તો તાજી ડુંગળીનો રસ પીવાથી ચોક્કસ ફાયદો થશે. રસમાં ગોળ અથવા મધ મિક્ષ કરીને પણ પી શકાય છે. આ સાથે શિયાળામાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી શરદીમાં રાહત રહે છે.

        એનીમિયામાં લાભકારક

        કાચી ડુંગળીમાં સલ્ફર વધુ માત્રામાં હોવાને કારણે ડુંગળી કાપતી વખતે આંખોમાંથી પાણી નિકળે છે. જે નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. આ સલ્ફરમાં એક પ્રકારનું તૈલીય પદાર્થ રહેલું હોય છે. જે એનીમિયાના રોગીઓ માટે અત્યંત લાભકારક હોય છે. પરંતુ ખારોક બનાવતી વખતે તે સલ્ફર બળી જાય છે. જેથી કાચી ડુંગળીનું સેવન જ કરવું જોઈએ.

        નાકમાંથી લોહી પડવું 



        જો નાકમાંથી લોહી પડતું હોય તો કાચી ડુંગળી કાપીને સૂંઘવાથી લોહી નિકળતું બંધ થઈ જશે. આ સાથે જો તમને હરસ-મસાની સમસ્યા હોય તો રોજ એક સફેદ કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો. તમારી સમસ્યા દૂર થઈ જશે.





        તમે ગાજર તો ખાવ છો પણ શું તેના સોનેરી ફાયદા વિષે જાણો છો? કે નહિ ?

                                   ગાજરનું સેવન કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ગાજરમાં ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધી ગુણો રહ્યા છે. તમે આનું સેવન જ્યુસ બનાવી કે સલાડમાં નાખીને કરી શકો છો. તમને ફક્ત સફરજન જ નહિ પણ ગાજર પણ દવાખાના થી દુર રાખે છે. આનાથી આંખમાં જોવાની ક્ષમતામાં વધારો થાય છે. ચાલો જાણીએ આના સેવનથી થતા લાજવાબ ફાયદાઓ વિષે...


        • આનું સેવન કરવાથી તમારે કેલેરી ની ચિંતા કરવાની જરૂર નથી. કારણકે આમાં ખુબ જ ઓછી કેલરી હોય છે તેથી ડાયાબીટીસના દર્દી પણ આનું સેવન કરી શકે છે. ગાજર એ ત્વચા અને આંખ માટે વરદાન રૂપ છે. ગાજરનો સલાડ કે જ્યુસ પીવાથી ચહેરા પર ચમક આવે છે.
        • ગાજરના જ્યુસમાં ખૂબ વધારે વિટામીન અને ખનીજ હોય છે. આમાં મુખ્યત્વે વિટામીન A પુષ્કળ માત્રામાં જોવા મળે છે. દરરોજ ગાજર ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.
        • ગાજરમાં ‘ફેલ્કેરીનોલ’ નામનું યોગિક મળી આવે છે જે ફેફસાનું કેન્સ, સ્તન કેન્સર અને આંતરડાનું કેન્સર થતા અટકાવે છે.
        • આપણી સ્થાનિક તબીબી અભ્યાસમાં ‘આયુર્વેદ’ ગાજરને યોન શક્તિવર્ધક ટોનિક માને છે.
        • ગાજરનુ જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.
        • આના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે.
        • ગાજર ખાવાથી શરીરની ઇમ્યુનિટી સીસ્ટમ મજબુત બને છે.
        • ગાજરમાં પુષ્કળ માત્રામાં કેલ્સિયમ હોય છે જે હાડકા અને દાંતને મજબૂત કરવામાં સહાયક બને છે.
        • ગર્ભવતી મહિલા માટે પણ ગાજર ફાયદાકારક છે. આના સેવનથી ગર્ભમાં રહેલ બાળક ઇન્ફેકશનથી બચે છે.
        • આમાં કેરોટીનોઇડ હોય છે જે દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.





         "લીમડો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક"


        સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાતો લીમડો બધી જગ્યાએ જોવા મળે છે. તેના અનેક ઉપયોગો હોવાથી તેને આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે. તે અતિ ગુણકારી હોઇ તેના તમામ ભાગનો ઉપયોગ ઓષધી તરીકે થતો હોય છે. તેના તમામ ભાગો કડવા હોય છે અને તેની કડવાશ પણ એટલી જ તીવ્ર હોય છે.

        લીમડાના તેલની માથા પર માલિશ કરવાથી સફેદ વાળ કાળા થઇ ભરાવદાર બને છે. સાંધાના દુખાવામાં લીમડાનું તેલ અકસીર ગણાય છે. નાના બાળકને લીમડાનાં પાનનો રસ પિવડાવવાથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેની વિટામિન એ ની ખામી દૂર થાય છે. લીમડાનાં પાનને ગરમ પાણીમાં થોડા સમય માટે રાખીને પછી તે પાણીથી સ્થાન કરવામાં આવે તો તાવમાં રાહત મળે છે.

        લીમડાના પાંચ ભાગ મૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને ફળ વગેરે છે. જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે. તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે.લીમડામાં પ્રોટીન, કાર્બોહાઇડેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામિન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો હોય છે. તેનાં પાંદડાંઓના નિયમિત ઉપયોગથી ચામડી અને કૃષ્ઠ રોગ જેવી બીમારીઓમાં ઝડપથી ઉગારી શકાય છે.

        લીમડાનું દાતણ સર્વોત્તમ ગણાય છે. જો નિયમિત રીતે તેનુ દાતણ કરવામાં આવે તો પેઢાંના વિકારો દૂર થશે, અન્નનળી સાફ અને રોગમુક્ત થશે. લીમડાના તેલમાંથી બનાવેલો સાબુ ત્વચાના રોગો માટે ગુણકારી છે. રક્તવિકારની સમસ્યામાં તેનાં પાનને વાટી તેનો રસ લેવાથી રાહત મળે છે. સ્ત્રીઓની માસિક ધર્મની સમસ્યામાં રાહત મેળવવા લીમડાનાં સાત પાનને આદુંના રસ સાથે પીવાથી તથા કેટલાંક પાંદડાંઓને પાણીમાં ઉકાળી પેઢુ પર બાંધવાનો પ્રયોગ કરો.

        નવજાત શિશુઓને લીમડાનાં કુમળાં પાંડદાંઓને વાટી તેનો રસ નિયમિત રીત પિવડાવવાથી તેને ઝેરીલા જીવજંતુઓની કોઇ અસર થતી નથી. શરીરની ગરમી, ગૂમડાંઓ વગેરેમાં રાહત મેળવવા રોજ સવારે ૨૦થી ૨૫ ગ્રામ લીમડાનાં પાન તોડી રાતભર પલાળી સવારે ૧૦થી ૧૨ કાળા મરીમાં વાટી તેમાં થોડી ખાંડ મિક્સ કરો. તેને રોજ સવારે નરણાં કોઠે દસ દિવસ સુધી લેવું. આ પ્રયોગ કરવાથી કોઇ દિવસ અળાઇઓ થશે નહીં, પાચનતંત્ર સુધરશે અને કદી તાવની સમસ્યા થશે નહીં.

        "Benefits of Juicing"


        Whole fruit or juice

        Did you know that 95% of the vitamins and enzymes our bodies need are found in the juice of raw fruits and vegetables? We would need to eat 2 lbs of carrots, 10-12 apples, or 8 lbs of spinach to get the same amount of nutrients you receive in one 16 oz juice. When you drink juice, highly concentrated vitamins, minerals and enzymes rapidly enter the bloodstream absorbing all of the nutritional benefits of the fruits and vegetables and giving your digestive organs a much-needed rest.

        When to juice

        We think it’s best to drink our juices the same day they are pressed. As soon as any juice meets the air it begins to oxidize, compromising its nutritional value. However, storing our full juices in the refrigerator in a tightly sealed glass jar slows this process. The best time to drink juice is on an empty stomach or at least an hour before eating a meal. This maximizes the amount of nutrients absorbed into the body. Of course, fresh pressed juice is still loaded with health benefits even if you can’t drink it during the recommended window.

        Juicing and Illness

        There is lots of research that shows the healing properties of juicing. Not only will juicing facilitate weight loss, increased energy levels, strengthened immunity, strong bones and a glowing complexion, it may also reduce chances of heart disease, cancer and strokes, three of the leading causes of death. A growing body of research suggests that most vitamin supplements don’t help prevent chronic disease. A synthetic vitamin or mineral is a laboratory simulation of the real thing. Natural, plant-based vitamins and minerals are more easily and completely absorbed by the body.

        Fresh vs Bottled

        Fresh juice not only contains greater nutritional value, it contains life. Fresh pressed juice is like drinking a natural vitamin filled with living enzymes, essential minerals, antioxidants, and natural antibiotics, which are vital for optimal health. Bottled juices are pasteurized which means they are heated and processed, which can kill vitamins and minerals.

        Why organic

        Organic farming use methods that minimize the use of toxins while building soil quality and protecting water quality. Additionally, buying organic supports chemical and pesticide-free practices that are healthier for our farmers and for our planet. Lastly, we feel that organic foods have more intense and delicious flavors.

        Why Glass

        While many people love our glass bottles a few have asked why we don't have a more lightweight travel-friendly alternative. We are working on finding something but truth be told, plastic is plastic no matter how you slice it and its rival, the biodegradable product PLA takes a large amount of energy to produce. We find that glass is the number one choice when striving to be the most environmentally friendly.


         "રક્તદાનથી સ્વાસ્થ્યને થાય છે ચમત્કારીક ફાયદા"



        કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય કે તમારા લોહીના થોડાં ટીપાં પણ કોઇને જીવન બક્ષી શકે છે. દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઇ ને કોઇ જિંદગી મોત સામે ઝઝૂમતી રહે છે, આવામાં તમારું લોહી કોઇને જીવનદાન આપી શકે છે.રક્તદાન કોઈપણ કરી શકે છે. આ એક સુરક્ષિત પ્રક્રિયા છે જે એકદમ સરળ છે. રક્તદાન કરવાથી શરીરમાં રક્તની કમી આવે છે આ માન્યતા તદ્દન ખોટી છે.
        રક્તદાનને એમ જ કંઈ મહાદાન કહેવામાં આવતું નથી. આ કોઈના જીવનને બચાવે છે. પરંતુ આ સિવાય પણ એક બીજી અગત્યની વાત એ છે કે સ્વાસ્થ્ય માટે રક્તદાન કેટલું ફાયદાકરક છે તમે જાણો છો? તો બતાવી દઈએ કે રક્તદાન અનેક રીતે લાભકારક હોય છે જે આજે અમે તમને બતાવીશું, એટલે જ રક્તદાન નિયમિત રીતે કરવું જોઈએ. રક્તદાન હૃદયને મજબૂત બનાવી કેન્સર જેવા જીવલેણ રોગોથી બચાવે છે. તો કેમ રક્તદાન ન કરવું અને પોતાના સ્વાસ્થ્યની સાથે અન્યોના જીવનને પણ બચાવો.

        હૃદય માટે છે ફાયદાકારક

        રક્તદાન દિલ માટે બહુ જ લાભકારક માનવામાં આવે છે. નિયમિત અંતરાલે રક્તદાન કરવાથી શરીરમાં આયરનની માત્રા સંતુલિત રહે છે અને રક્તદાતા હૃદયરોગના ખતરાથી દૂર રહે છે. નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં લોહી પાતળું થાય છે જેના કારણે દિલ એકદમ સ્વસ્થ રહે છે.

        નવી રક્ત કોશિકાઓ બને છે
        શરીરને સ્વસ્થ રાખવા માટે નવી રક્ત કોશિકાઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરમાં જે નવું લોહી બને છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, જેના કારણે શરીરમાં નવી રક્ત કોશિકાઓ બને છે.

        કેલરી બળે છે
        એક યુનિટ રક્તદાન કરવાથી આપણા શરીરથી 650 કેલરી બળે છે. આ આપણા આદર્શ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તો જાણી લો કે જો તમે નિયમિત રીતે રક્તદાન કરો છો તો તમારી કેલરી બળે છે જે તમારા વજનને કંટ્રોલમાં રાખે છે.

        કેન્સરના ખતરાને ઘટાડે છે
        જો તમારે કેન્સર જેવા ઘાતકી રોગથી બચવું હોય તો રક્તદાન કરો. નિયમિત રક્તદાન કરવાથી કેન્સર અને અન્ય બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે. કારણ કે રક્તદાન એ શરીરમાં રહેલાં વિષેલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢે છે.

        મફત ચિકિત્સા તપાસ
        શરીરની નિયમિત તપાસ કરાવવાથી બીમારીઓનું નિદાન થઈ જાય છે અને આ સુવિધા તમને રક્તદાન દરમિયાન મફતમાં મળે છે તો આનો ફાયદો કેમ ન ઉઠાવવો. રક્તદાતાનું વજન, બ્લડપ્રેશર, હીમોગ્લોબીન અને બ્લડગ્રુપની તપાસ કરવામાં આવે છે અને રક્તદાન બાદ એચઆઈવી અને મલેરિયા, એચબીએસએજી, એચસીવી, વીડીઆરએલ અને એન્ટીબોડીની સ્ક્રીનિંગ જેવી તપાસ થાય છે.

        કેન્સરના ખતરાને ઘટાડે છે
        જો તમારે કેન્સર જેવા ઘાતકી રોગથી બચવું હોય તો રક્તદાન કરો. નિયમિત રક્તદાન કરવાથી કેન્સર અને અન્ય બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે. કારણ કે રક્તદાન એ શરીરમાં રહેલાં વિષેલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢે છે.
        મફત ચિકિત્સા તપાસ

        શરીરની નિયમિત તપાસ કરાવવાથી બીમારીઓનું નિદાન થઈ જાય છે અને આ સુવિધા તમને રક્તદાન દરમિયાન મફતમાં મળે છે તો આનો ફાયદો કેમ ન ઉઠાવવો. રક્તદાતાનું વજન, બ્લડપ્રેશર, હીમોગ્લોબીન અને બ્લડગ્રુપની તપાસ કરવામાં આવે છે અને રક્તદાન બાદ એચઆઈવી અને મલેરિયા, એચબીએસએજી, એચસીવી, વીડીઆરએલ અને એન્ટીબોડીની સ્ક્રીનિંગ જેવી તપાસ થાય છે.
        સૌજન્ય દિવ્ય ભાસ્કર





        "પલાળેલી બદામ રાખશે તમને હાર્ટએટેકથી દૂર"

                           બદામનુ સેવન ફક્ત મગજ માટે જ જરૂરી નથી પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ બદામ ખૂબ જ ફાયદાકારક છે. એક અભ્યાસ મુજબ બદામનું નિયમિત સેવન ડાયાબિટીસ, બ્‍લડ પ્રેશર તથા હૃદયરોગ સંબંધી રોગોના ખતરાને ઓછું કરે છે અને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી રહે છે. ઘણાં અભ્યાસમાં એવુ માનવામાં આવ્યુ છે કે, બદામ પોષણનું પાવરહાઉસ છે. આમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર, પોટેશિયમ, મેગનીંજ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્‍વો હોય છે. જે સંપૂર્ણ કોલેસ્‍ટ્રોલ ફ્રી છે. આજે જોઈએ પલાળેલી બદામ ખાવાથી તમને કેવા મોટા મોટા ફાયદા થાય છે.બે બદામની કતરણ દૂધ કે સાકરની સાથે રોજ ત્રણથી ચાર અઠવાડિયા સુધી લો. આવું કરવાથી શરીરની નબળાઈ દૂર થશે અને મગજ પણ તેજ બનશે.


        દરરોજે સવારે જો ચાર બદામ પાણીમાં રાત્રે પલાળેલી ખાવામાં આવે તો તે લોહીની નસો સ્વસ્થ રાખે છે. અને તેને કારણે હૃદય રોગનું જોખમ ઘટે છે. હાલમાં જ થલેયાં એક રિસર્ચમાં આ વાત બહાર આવી છે.

        રાતના પાણીમાં પલાળીને બદામના સેવનથી સવારે વધારે ફાયદો થાય છે. પલાળેલી બદામથી એવા એન્જાઈમ રિલીજ થાય છે, જે તેમાં રહેલા ફેટને પચાવવામાં મદદ કરે છે.

        નિયમિત સવારે 2 પલાળેલી બદામનું સેવન ચહેરાની રંગત અને વાળની ચમક વધારે છે. સાત દાણા બદામને રાત્રે પાણીમાં પલાળીને રાખો અને સવારે છાલ ઉતારી પીસી લો. આ પેસ્ટને 250 ગ્રામ દૂધમાં નાખી થોડી વાર ઉકાળો. ત્યારબાદ તેને નીચે ઊતારી એક ચમચી ઘી અને બે ચમચી ખાંડ મેળવી ઠંડુ કરીને પીવો. 15-20 દિવસ સુધી આમ કરવાથી યાદદાસ્ત તેજ બને છે.

        પલાળેલી બદામને કાળીમરી સાથે પીસીને અથવા ખૂબ જ ચાવીને ખાઓ અને ત્યારબાદ દૂધ પીવાથી મગજ સતેજ બને છે અને શરીરને તાકાત મળે છે.